9 લોકોને જીવતા મારી નાખનાર તથ્ય પટેલનું ડ્રાઇવિંગ લાયસન્સ આજીવન રદ

9 લોકોને જીવતા મારી નાખનાર તથ્ય પટેલનું ડ્રાઇવિંગ લાયસન્સ આજીવન રદ : અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય પટેલ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. 19 જુલાઈની રાત્રે ફૂલ સ્પીડમાં જેગુઆર કાર ચલાવીને 9 નિર્દોષ લોકોના જીવ લેનાર નબીરો તથ્ય પ્રજ્ઞેશ પટેલ હાલમાં જેલના સળિયા ગણી રહ્યો છે.

ત્યારે હવે અમદાવાદ RTO દ્વારા તથ્ય પટેલનું ડ્રાઈવિંગ લાયસન્સ કાયમ  માટે RTO દ્વારા રદ કરી દેવામાં આવ્યું છે. એટલે કે આજીવન હવે લાયસન્સ જ નહીં નીકળે. તથ્ય પટેલનું ડ્રાઇવિંગ લાયસન્સ આજીવન રદ

તથ્ય વિશે જ્યારે ઉંડી તપાસ કરી તો જાણવા મળ્યું કે વારંવાર ટ્રાફિક ગુનાઓ આચરવામાં આવ્યા હોવાથી તે રીઢો ગુનેગાર હોવાનું સાબિત થયું અને આરટીઓ દ્વારા તેનું લાયસન્સ કાયમ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે.

તથ્ય પટેલનું ડ્રાઇવિંગ લાયસન્સ આજીવન રદ

તથ્ય પટેલે અત્યાર સુધીમાં સર્જેલા અકસ્માતો વિશે વાત કરીએ તો તથ્યએ 6 મહિના પહેલા ગાંધીનગરના એક મંદિરમાં જેગુઆર કાર ઘુસાડી હતી. નવા વર્ષની પાર્ટીમાં ગયેલા તથ્ય પટેલે વાંસજડા ગામની ભાગોડે સાણંદ જતા મેઈન રોડ પર બળિયાદેવના મંદિરમાં કાર ઘુસાડી દીધી હતી.

આ મામલે સાંતેજ પોલીસે તથ્ય પટેલ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ઈસ્કોન અકસ્માત વિશે તો હવે આખા ગુજરાતને ખબર છે. ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. પોલીસ પણ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી.

કાયમ માટે સસ્પેન્ડ કરાયું ડ્રાઈવિંગ લાયસન્સ

ઇસ્કોન બ્રિજના આરોપી તથ્ય પટેલે 6 મહિનામાં જ 3 અકસ્માત સર્જ્યા હોવાનું તપાસમાં સામે આવતા અને વારંવાર ટ્રાફિક ગુનાઓ આચરવામાં આવ્યા હોવાથી તે રીઢો ગુનેગાર હોવાનું સાબિત થતાં આરટીઓ દ્વારા તેનું લાયસન્સ કાયમ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. તથ્ય પટેલ વારંવાર ટ્રાફિક નિયમોનો ઉલાળીયો કરવામાં માહેર હોવાનું તપાસમાં સામે આવતા આરટીઓ દ્વારા આ એક્શન લેવામાં આવ્યું છે.

અમદાવાદ RTO એ લીધું સૌથી મોટું એક્શન

આ દરમિયાન કર્ણાવતી ક્લબ તરફથી પૂર ઝડપે આવતી લક્ઝ્યૂરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. 141.27થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચડાવી દીધી હતી. આ ભયાનક અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. આ અકસ્માત તથ્ય પટેલે કર્યો હતો અને ત્યારથી તથ્ય ચર્ચામાં છે.

તથ્યના રિમાન્ડ પુરા થયા પણ પોલીસે વધુ રિમાન્ડની માગણી કરી નહોતી. કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલ્યો છે. દરમિયાન ગ્રામ્ય કોર્ટ સમક્ષ તથ્યએ કેટલીક માગ કરી હતી. જેમાં ટિફિનથી લઈને ભણતર સહિતની માગણીઓ હતી.

આ માગણીઓ પર કોર્ટે જેલ મેન્યુઅલ પ્રમાણે તેને બે ટાઈમ ઘરનું ભોજન મળે તે માટે પરવાનગી આપી છે. હવે તથ્યને ઘરનું ભોજન મળશે. જોકે અઠવાડિયામાં એક જ વખત સગાને મળવા અને ફોન કરવાની પરવાનગી આપી છે.

તથ્ય પટેલ રીઢો ગુનેગાર

ટ્રાફિક પોલીસે તથ્ય પટેલનું લાઈસન્સ રદ કરવા માટે RTOને પત્ર લખ્યો હતો. તથ્ય જીજે01 20220006171 નંબરનું નોન ટ્રાન્સપોર્ટ ડ્રાઇવિંગ ધરાવતો હતો અને તેની સમય મર્યાદા 11-2-22થી 19-12-2043 સુધી હતી.

પોલીસ ફરિયાદ મુજબ તથ્યએ ઇ.પી.કો.કલમ 279, 338, 304, 504, 506(2),114, એમ.વી.એક્ટ કલમ- 177, 184 અને 134(બી) હેઠળ ઘણીવાર ટ્રાફિકના ગુનાઓ આચર્યા હતા. આથી તે રીઢો ગુનેગાર હોવાનું સાબિત થતા RTO દ્વારા તેનું લાઈસન્સ કાયમ માટે સસ્પેન્ડ કરવી દેવામાં આવ્યું છે.

વધુ માહિતી માટે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને 9 લોકોને જીવતા મારી નાખનાર તથ્ય પટેલનું ડ્રાઇવિંગ લાયસન્સ આજીવન રદ સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujjuonline.in ની મુલાકાત લેવા બગલ આભાર !!

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.