સ્વામિનારાયણના સંતોએ હનુમાનજી બાદ હવે ગણપતિ દાદાનું અપમાન કર્યું

સ્વામિનારાયણના સંતોએ હનુમાનજી બાદ હવે ગણપતિ દાદાનું અપમાન કર્યું : તાજેતરમાં સાળંગપુરમાં હનુમાનજીના વિવાદિત ભીંત ચિત્રોને લઈને મોટો વિવાદ થયો હતો, ત્યારે હવે ગણપતિ દાદાના પોસ્ટરને લઈને નવો વિવાદ મહિસાગર જિલ્લાના લુણાવાડામાંથી સામે આવ્યો છે.

જેમાં ગણપતિ દાદાને સહજાનંદ સ્વામીના ખોળામાં બેસેલા દર્શાવાતા મામલે બિચક્યો છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સ્વામિનારાયણ સંપ્રદાય કોઈને કોઈ કારણે વિવાદમાં આવી રહ્યો છે.

હનુમાનજી બાદ હવે ગણપતિ દાદાનું અપમાન

હનુમાન દાદાના અપમાનને મોરારીબાપુએ નિવેદન આપ્યું છે. તેમણે આ કૃત્યને કપટ ગણાવ્યું છે. હનુમાનજીનું અપમાન ન ચલાવી લેવાય. લોકોએ જગૃત થવાની જરુર છે તેવી ટકોર પણ મોરારી બાપુએ કરી છે.

સાળંગપુરમાં સ્થાપિત તસવીરને લઈને સાધુ સંતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ મામલે મહંત હર્ષદ ભારતી બાપુએ સ્વામિનારાયણના સંતોને આડેહાથ લીધો છે. હર્ષદ ભારતી બાપુએ કહ્યું કે, હનુમાનજીને ચોકીદાર તરીકે ઉભા રખાયા છે.

સ્વામીઓ પાસે શું પૂરાવા છે. સ્વામીઓ પાસે ક્યા શાસ્ત્રનું પ્રમાણ છે. આવા અનેક સવાલો હર્ષદ ભારતીએ કર્યા છે. આ ઉપરાંત તેમણે સંત સમાજને મેદાનમાં આવવાની અપીલ કરી છે. હનુમાનજી બાદ હવે ગણપતિ દાદાનું અપમાન કર્યું

લુણાવાડામાં મંદિર બહાર વિવાદિત પોસ્ટર

લુણાવાડા સ્થિત છપૈયા ધામ સોસાયટીમાં સ્વામિનારાયણ મંદિરની બહાર એક વિવાદાસ્પદ પોસ્ટર દેખાઈ રહ્યું છે, જેમાં સહજાનંદ સ્વામીને મોટા અને ગણેશજીને નાના બતાવવામાં આવ્યા છે, જેના કારણે આ પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે.

તેના કારણે ગણેશને ભક્તો ભાવનાત્મક રીતે દુભાયા છે અને આ ચર્ચાનો વિષય બન્યો છે. આ પોસ્ટર વિવાદાસ્પદ બન્યું છે અને પોસ્ટરમાં દેખાતા ભાજપના દિગ્ગજ નેતા જે.પી.પટેલની તસવીર તેમનું સ્વાગત કરતા મુકવામાં આવી છે.

ભાજપના નેતા પણ દેખાયા હતા

જે.પી પટેલ એક વખત પંચમહાલ જીલ્લા ભાજપ પ્રમુખ અને બે વખત મહીસાગર જીલ્લા ભાજપ પ્રમુખ રહી ચુક્યા છે અને તેઓ પોતે ગુજરાત આચાર્ય સંઘના પ્રમુખ અને શિક્ષણ બોર્ડના સભ્ય છે. લુણાવાડા વિધાનસભા બેઠક રમી હતી.

જેમણે ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડીને તેમને હરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભાજપમાંથી ટીકીટ ન મળતા તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા.

તે સમયે ભાજપના ઉમેદવારને હરાવવામાં મહત્વની ભૂમિકા ભજવતા ભાજપ દ્વારા તેમને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા અને તાજેતરમાં તેઓ ભાજપમાં સ્વદેશ પરત ફર્યા છે. હનુમાનજી બાદ હવે ગણપતિ દાદાનું અપમાન કર્યું

સ્વામિનારાયણનાએ મીડિયાને બંધક બનાવ્યા હતા

તો જ્યારે Gujarat Takના પત્રકાર આ મામલે મંદિરમાં તપાસ કરવા પહોંચ્યા ત્યારે મંદિરમાં હાજર પુરુષો અને મહિલાઓના 1000 લોકોના ટોળાએ તેમને ઘેરી લઈને બંધક બનાવી લીધા હતા.

ગુંડાગીરી પર ઉતરી આવેલા ટોળાએ આટલેથી ન અટકીને રિપોર્ટર સાથે ઝપાઝપી કરીને બધું રેકોર્ડિંગ જબરજસ્તી ડિલીટ કરાવી દીધું અને તેમને બંધક બનાવીને બેસાડી દીધા હતા.

બાદમાં પોલીસ સ્થળ પર પહોંચતા તેમને મુક્ત કરવામાં આવ્યા હતા અને મંદિર તરફથી વિવાદ વધુ ન વકરે તે માટે રિપોર્ટરને માફી પત્ર લખીને આપ્યો હતો.

વિવાદ થતા પોસ્ટર હટાવી લેવાયું?

તો બીજી તરફ ગણપતિ દાદાના સહજાનંદ સ્વામી સાથેના પોસ્ટરથી ભક્તોની લાગણી દુખાતા શહેરમાં વાઈરલ પોસ્ટર ચર્ચાનો વિષય બન્યું હતું. વિવાદ વધુ ન વકરે તે માટે મંદિર દ્વારા બાદમાં આ વિવાદિત પોસ્ટર હટાવી લેવામાં આવ્યું હતું.

પરંતુ અહીં સવાલ એ થાય છે કે શા માટે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પહેલા શા માટે ભગવાનને આ રીતે દર્શાવવામાં આવે છે જેથી વિવાદ ઊભો થાય.

જો પહેલાથી જ આ પ્રકારની વિવાદિત બાબતોથી દૂર રહેવાનું સંતો દ્વારા કેમ વિચારવામાં નથી આવતું? વિરોધ બાદ જ શા માટે તેઓને પોતાની ભૂલ સમજાય છે. હનુમાનજી બાદ હવે ગણપતિ દાદાનું અપમાન કર્યું

વધુ માહિતી માટે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને સ્વામિનારાયણના સંતોએ હનુમાનજી બાદ હવે ગણપતિ દાદાનું અપમાન કર્યું સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! liliapk.pro ની મુલાકાત લેવા બદલ આભાર !!