કેનેડામાં રહેતા ભારતીય વિદ્યાર્થીનું ટેન્શન વધ્યું?

કેનેડામાં રહેતા ભારતીય વિદ્યાર્થીનું ટેન્શન વધ્યું : કેનેડામાં રહેતા મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ હવે વિઝા કેન્સલ થવાના ભયનો સામનો કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને ત્યાં વધી રહેલી.

ભારત વિરોધી ગતિવિધિઓ અને અપરાધિક હિંસાને ધ્યાનમાં રાખીને અત્યંત સાવધાની રાખવા વિનંતી કરી છે. તેમજ કેનેડા જવાના નાગરિકોએ પણ સાવચેતી રાખવી જોઈએ. ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી રહ્યો છે.

કેનેડામાં રહેતા ભારતીય વિદ્યાર્થીનું ટેન્શન વધ્યું

કેનેડાએ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે, પરંતુ ભારતે કેનેડાના તમામ આરોપોને ફગાવી દીધા છે. આ ઘટનાક્રમ બાદ બંને દેશોએ એકબીજાના ડિપ્લોમેટ્સને હટાવી દીધા છે.

ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા વિવાદ વચ્ચે દુનિયાના અન્ય દેશોના નેતાઓના નિવેદન પણ સામે આવ્યા છે. ભારત-કેનેડા તણાવની અસર વેપાર અને લોકો ઉપર પણ પડી રહી છે. કેનેડામાં રહેતા ભારતીય વિદ્યાર્થીનું ટેન્શન વધ્યું

શું સ્ટુડન્ટના વિઝા થશે કેન્સલ?

ભારતે કેનેડાથી આવતા લોકોના વિઝા અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરી દીધા છે. આથી ત્યાંથી ભારત આવતા લોકોની ચિંતા વધી છે. સાથે જ પંજાબના ઘણા વિદ્યાર્થીઓ દર વર્ષે કેનેડા ભણવા જાય છે.

આ ઉપરાંત પંજાબના લોકો પાસે તેમના બાળકો પાછળ કરોડો રૂપિયાનું રોકાણ છે. બંને દેશો વચ્ચે વધી રહેલી તિરાડને કારણે હવે ભારતીય માતા-પિતાનું ટેન્શન વધી ગયું છે.

મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ

કેનેડામાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓમાં ભારતીય વિદ્યાર્થીઓ સૌથી વધુ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેનેડામાં રહેતા 40 ટકા લોકો ભારતીય વિદ્યાર્થીઓ છે. 2022માં તેમની સંખ્યા લગભગ 3,20,000 હતી. ફોર્બ્સના રિપોર્ટ મુજબ 2013ની સરખામણીએ કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે.

ભારત સરકારની એડવાઈઝરીના કારણે ત્યાં હાજર તમામ ભારતીય વિદ્યાર્થીઓને વિઝા કેન્સલ થવાના ભયનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં કેનેડામાં 3.4 લાખ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

કેનેડામાં 3.4 લાખ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે

ખાલસા બોક્સ દ્વારા શનિવારે જાહેર કરવામાં આવેલા એક અહેવાલ અનુસાર પંજાબ દર વર્ષે શિક્ષણ પાછળ 68 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગત વર્ષ એટલે કે 2022માં કુલ 2,26,450 વિઝાને કેનેડાએ રેફ્યુજીઝ એન્ડ સિટિઝનશિપ કેનેડા (IRCC) હેઠળ મંજૂરી આપી હતી.

જેમાં પંજાબથી અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની સંખ્યા 1.36 લાખ હતી. આ તમામ વિદ્યાર્થીઓ બેથી ત્રણ વર્ષનો કોર્સ કરવા માટે કેનેડા ગયા છે. વિદ્યાર્થીઓને વિઝા આપતી એજન્સી તરફથી એવો પણ ખુલાસો થયો છ.

ભારતીયો કેનેડાના કાયમી નિવાસી બન્યા

હાલમાં પંજાબના લગભગ બે લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે સ્ટડી વિઝા પર કેનેડા ગયા છે. કેનેડિયન બ્યુરો ઓફ ઈન્ટરનેશનલ એજ્યુકેશનનો રિપોર્ટ દર્શાવે છે કે વર્ષ 2022માં 1.18 લાખ ભારતીયો કેનેડાના કાયમી નિવાસી બન્યા હતા.

ફાર્મસી, ફાઇનાન્સ, નર્સિંગ અને ડેન્ટલ અભ્યાસમાં કેનેડામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે. ખાલસા બોક્સના મતે એસોસિયેશન ઓફ કન્સલ્ટન્ટ્સ ફોર ઓવરસીઝ સ્ટડીઝના પ્રમુખ કમલ ભુમાલાને જણાવ્યું હતું. કેનેડામાં રહેતા ભારતીય વિદ્યાર્થીનું ટેન્શન વધ્યું

ગયા વર્ષના આંકડા મુજબ સરેરાશ દરેક વિદ્યાર્થી ગેરેન્ટેડ ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ (જીઆઇસી) ફંડના રૂપમાં 10,200 કેનેડિયન ડોલર જમા કરાવવા સિવાય વાર્ષિક ફીમાં લગભગ 17,000 કેનેડિયન ડોલર ચૂકવે છે.

ભારતીય વિદ્યાર્થી અને કામદારોના વિઝા પર કેનેડા કાપ

કમલ ભૂમલાએ કહ્યું કે 2008 સુધી 38000 પંજાબીઓ કેનેડા જવા માટે અરજી કરતા હતા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આ આંકડો ઝડપથી વધ્યો છે. કેનેડા જતા કુલ ભારતીય વિદ્યાર્થીઓમાંથી લગભગ 60 ટકા પંજાબ મૂળના છે.

જે મુજબ અન્ય દેશોમાંથી આવેલા ઇમિગ્રન્ટ્સની કુલ સંખ્યામાં ભારતીયોનો હિસ્સો 18.6 ટકા હતો. ટાઇમ મેગેઝિનના એક અહેવાલ અનુસાર ભારત પછી કેનેડામાં શીખોની સૌથી વધુ વસ્તી છે. જે ત્યાંની કુલ વસ્તીના 2.1 ટકા છે.

કેનેડામાં અભ્યાસ માટે દર વર્ષે 68 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ

રોયટર્સના એક રિપોર્ટ અનુસાર 2022માં કેનેડામાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ભારતીયોનો હિસ્સો 40 ટકા છે. આ જ રિપોર્ટ અનુસાર ટીસીએસ, ઇન્ફોસિસ, વિપ્રો જેવી 30 ભારતીય કંપનીઓએ કેનેડામાં અબજો ડોલરનું રોકાણ કર્યું છે.

જે લાખો લોકોને રોજગારી આપે છે. અમારી પાસે ઉપલબ્ધ ડેટાના આધારે કેનેડામાં પ્રવાસ કરનારા લગભગ 60 ટકા ભારતીયો પંજાબી છે, જેમાં અંદાજે 1.36 લાખ વિદ્યાર્થીઓ છે.2022માં કેનેડાએ વસ્તી ગણતરીના આંકડા જાહેર કર્યા હતા. કેનેડામાં રહેતા ભારતીય વિદ્યાર્થીનું ટેન્શન વધ્યું

રિપોર્ટ શું કહે છે?

  • કેનેડિયન બ્યુરો ઓફ ઈન્ટરનેશનલ એજ્યુકેશનના અહેવાલો અનુસાર કેનેડામાં એકંદરે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની વસ્તીમાં વધઘટ જોવા મળી છે.
  • 2019માં 6,37,860 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ હતા, જેમાં 4,00,600 નવી અભ્યાસ પરમિટ વાળા છે. કોવિડ-19 રોગચાળાને કારણે 2020માં આ સંખ્યા ઘટીને 5,27,365 થઈ ગઈ હતી.
  • 2021 સુધીમાં સંખ્યા ફરી વધીને કુલ 6,17,315 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ થઈ ગઈ છે, જેમાં 4,44,260 નવી અભ્યાસ પરમિટનો સમાવેશ થાય છે.
  • તે 2022 માં 8,07,750 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સાથે આગળ વધવાનું ચાલુ રાખ્યું. જેમાં 40 ટકા ભારતીય વિદ્યાર્થીઓ છે. આ સ્થિતિમાં લગભગ 3,23,000 ભારતીય વિદ્યાર્થીઓ છે.
  • કૅનેડિયન બ્યુરો ઑફ ઇન્ટરનેશનલ એજ્યુકેશનની ઓફિશિયલ વેબસાઇટ cbie.ca તમામ દેશોના વિદ્યાર્થીઓની વિગતો ધરાવે છે.
  • કેનેડા સરકાર દ્વારા વિદેશી વિદ્યાર્થીઓ માટે ઘણા ફેલોશિપ પ્રોગ્રામ્સ પણ ચલાવવામાં આવે છે.

પાંચ વર્ષમાં દસ લાખ ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા ભણવા માટે ગયા

કેનેડાની સરકારના  ઈમિગ્રેશન, રેફ્યુજી તેમજ સિટિઝનશિપ વિભાગના આંકડા પ્રમાણે તો છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાંથી ૧૦ લાખ વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરવા માટે ગયા છે. ૨૦૨૨માં આ આંકડો ૩.૧૯ લાખ પર પહોંચ્યો હતો.

૨૦૧૮માં ૧.૭૧ લાખ, ૨૦૧૮માં ૨.૧૮ લાખ ભારતીય વિદ્યાર્થીઓને કેનેડાના સ્ટુડન્ટ વિઝા મળ્યા હતા. ૨૦૨૦માં ૧.૭૯ લાખ તેમજ ૨૦૨૧માં ૨.૧૬ લાખ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે કેનેડા પહોંચ્યા હતા.

કેનેડામાં ભણવા જતા વિદેશી વિદ્યાર્થીઓમાં સૌથી વધારે  સંખ્યા ભારતીયોની છે. જેમ કે ૨૦૨૨માં કેનેડામાં પાંચ લાખ વિદેશી વિદ્યાર્થીઓ કેનેડા ગયા હતા. ૨૦૨૩ના પહેલા હાફમાં પણ ૧.૭૫ લાખ ભારતીય વિદ્યાર્થીઓને કેનેડા માટેના સ્ટુડન્ટ વિઝા મળી ચુકયા છે.

ભારત-કેનેડા વચ્ચેનુ ટેન્શન લાંબા ગાળાનું નથી

પ્રો.ધોળકિયાનુ કહેવુ છે કે, ભારત અને કેનેડા વચ્ચે લાંબા સમય માટે ટેન્શન નહીં રહે.આ ટુંકા ગાળાની સ્થિતિ છે.મુખ્યત્વે અત્યારે જે માહોલ છે તે સર્જવા માટે જસ્ટિન ટ્રુડો પોતે વધારે જવાબદાર છે. તેમાં ૨.૨૬ લાખ તો ભારતીય વિદ્યાર્થીઓ હતા.

જો આગામી ચૂંટણીમાં જસ્ટિન ટ્રુડોની હાર થશે તો ભારત અને કેનેડાના સબંધોની ગાડી ફરી પાટા પર ચઢતા વાર નહીં લાગે.અત્યારે જે પ્રકારનો માહોલ છે તે એકાદ વર્ષ સુધી રહે તેવુ લાગે છે. કેનેડામાં રહેતા ભારતીય વિદ્યાર્થીનું ટેન્શન વધ્યું